GUJARAT

મુંબઈમાં 185 કરોડનો વૈભવી બંગલો ખરીદનાર પ્રથમ વ્યક્તિ સૌરાષ્ટ્રના ખેડૂતનો પુત્ર

મુંબઈમાં રહેતા ગુજરાતી અને મૂળ સૌરાષ્ટ્રના ડાયમંડ કિંગ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈના વરલી વિસ્તારમાં 185 કરોડનો બંગલો ખરીદ્યો છે. હરિકૃષ્ણ ગ્રુપના સવજી ધોળકિયાના નાના ભાઈ ઘનશ્યામ 32 વર્ષ પહેલા ભાડાના મકાનમાં રહેતા હતા અને હવે કરોડો રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. આ બંગલાને પનહાર બંગલા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને અન્ય સાત માળ છે. આ સાથે ઘનશ્યામ ધોળકિયાના પરિવારના સભ્યો માટે 36 ભવ્ય બેડરૂમ પણ છે.

ઘનશ્યામ ધોળકિયા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામના વતની છે. છેલ્લા 32 વર્ષથી મુંબઈ ખાતે રહે છે. હાલ તેમના દ્વારા વરલી સી-ફેસ ખાતે 19,886 ચોરસફૂટમાં બનેલા આ લક્ઝુરિયસ ‘પનહાર’ બંગલો ખરીદ્યો છે. જેમાં ગાર્ડન સહિતની તમામ સુવિધાઓ છે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 7 માળ છે. ઘનશ્યામભાઈના કુટુંબના 36 સભ્યો માટે 36 ભવ્ય બેડરૂમ છે.

ઘનશ્યામ ધોળકિયા આજથી 32 વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવ્યા ત્યારે 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતા હતા. 1994ની સાલમાં એક BHKના ફ્લેટથી શરૂઆત કરી, ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાથી 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યારબાદ 2001ની સાલમાં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે ભગવાનની કૃપાથી વરલી જેવા વિસ્તારમાં બંગલો ખરીદવાનું સપનું સાકાર થયું છે.

પ્રોપર્ટીનાં સોદાનું 30 જુલાઈ 2022એ રજિસ્ટ્રેશન કરાયું છે. બંગલા માટે મોટી રકમના બે સોદા કરવામાં આવ્યા છે. જેમાં કુલ રૂપિયા 185 કરોડની ચુકવણી કરાઈ છે. પહેલો સોદો લીઝ લેન્ડનો છે જેમાં 1349 ચોરસ મીટર જમીનના રૂ. 47 કરોડ ચૂકવવામાં આવ્યા છે. તેની માર્કેટ વેલ્યૂ રૂપિયા 51.45 કરોડ છે. આના પર સ્ટેમ્પ ડ્યૂટીનાં 5 ટકા લેખે રૂપિયા 2.57 કરોડની ચુકવણી કરાઈ છે. જમીન પરની લોન પેટે રૂપિયા 36.5 કરોડની સીધી ચુકવણી કરવામાં આવી છે.

બિલ્ડિંગના કન્વેયન્સ પેટે રૂપિયા 138 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી જેના પર 6 ટકાના દરે સ્ટેમ્પ ડ્યૂટીના 8.3 રૂપિયા કરોડ ચૂકવાયા હતા. આમાંથી 1 ટકા સેસ પેટે રૂપિયા 1.38 કરોડ ચૂકવવામાં આવ્યા પછી બાકીની સ્ટેમ્પ ડ્યૂટી રૂપિયા 6.91 કરોડ થવા જાય છે. રૂપિયા 144.5 કરોડની ચુકવણી પછી 26 જુલાઈએ ખરીદનાર ઘનશ્યાન ધોળકિયાને બંગલાનો કબજો સોંપાયો હતો.

ઘણા ઉદ્યોગપતિઓ માટે 185 કરોડનો બંગલો ખરીદવો કદાચ સામાન્ય બાબત છે, પરંતુ નાનકડા ગામડાના ખેડૂતપુત્ર માટે આ અસામાન્ય બાબત કહી શકાય. સૌરાષ્ટ્રના એક ગામના સામાન્ય ખેડૂતમાંથી શહેરના હીરા-ઉદ્યોગપતિ બનેલા ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈના વરલી વિસ્તારમાં 185 કરોડનો બંગલો ખરીદ્યો છે. હરિકૃષ્ણ ગ્રુપના સવજી ધોળકિયાના નાના ભાઈ ઘનશ્યામભાઈ સૌરાષ્ટ્ર સમાજમાં આટલો વૈભવી બંગલો ખરીદનારી કદાચ પ્રથમ વ્યક્તિ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *